Posts

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

Image
બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે રૂ. ૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા ટ્રાફિક સિગ્નલનું સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ ટેક્સપિન, જાયન્ટ્સ ગ્રુપ, બોટાદના સહયોગથી આ સિગ્નલ તૈયાર કરવામાં આવ્યું છે. શહેરના ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે આ સિગ્નલ મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. લોકાર્પણના આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયા, બોટાદ નગરપાલિકાના પ્રમુખ સહિતના અધિકારીઓ તેમજ ધર્મિષ્ઠાબેન, અગ્રણી પાલજીભાઈ પરમાર, મયૂરભાઈ પટેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...

બોટાદ શહેર ના વોર્ડ નં 11 ખાતે 100 કી મન કી બાત નો કાર્યક્રમ યોજાયો

Image
  બોટાદ શહેર વોર્ડ 11 બુથ નંબર 180 તેમજ બુથ નંબર 249 ના ગઢડા રોડ પર આવેલ માધવાનંદ આશ્રમ ખાતે "મન કી બાત" 100 મા એપિસોડ મા બહોળી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા 180 બુથ પ્રમુખ ચંદુભાઈ સાવલીયા તેમજ 249 બુથ પ્રમુખ હરેશભાઇ પીઠવા ની અધ્યક્ષતા મા યોજાયો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાહેબ નો 100 મો મન કી બાત કાર્યક્રમ મા જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા ડાયમંડ એસો. પ્રમુખ શંકરલાલ ધોળુ, વગેરે કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા અહેવાલ.... વનરાજસિંહ ધાધલ 

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ

Image
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ  ધોધમાર વરસાદ શરૂ થતાં ખેતરમાં ભરાયા પાણી જસદણ,આટકોટ,લીલાપુર, વીરનગર,બાખલવડ માં વરસાદ કમોસમી વરસાદના કારણે ઉનાળુ તલ,મગના પાકને નુકશાન થવાની ભીત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા માં વધારો રસીક વીસાવળીયા જસદણ   

બોટાદ શહેરમાં આવેલ નગરપાલિકા પાસે એક લાઈટ થાંભલામાં ભડકાભેડ દ્શ્ય સર્જાયા હતા

Image
બોટાદ શહેરમાં આવેલ નગરપાલિકા પાસે એક લાઈટના થાંભલામાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો જેને લઇ લોકોમાં ભાગદોડનો માહોલ સર્જાયો હતો સદ નસીબે કોઈ પણ જાનહાની થઈ નહોતી મળતી માહિતી મુજબ ગઈકાલ સાંજે રાત્રે 9:30 10 આજુબાજુ ના સમયમાં આ બનાવ બનવા પામ્યો હતો 

વિછીયા ખાતે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Image
વિછીયા ખાતે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથોસાથ વ્યસન મુક્તિ અને રાષ્ટ્રની સંપત્તિની જાળવણી ની વાત કરવામાં આવી તેમજ બહેનો બાળકો ને સત્સંગના માધ્યમથી સરળ ભાષામાં સમાજ સુધારા ના પાઠ નું પઠન કરવામાં આવ્યું અને શિવરાત્રી નિમિત્તે બપોરની આરતી નો લાભ રાજગૃપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા તેમજ દેવધરી ગામના સરપંચ ચતુરભાઈ ગોહિલ દ્વારા ભોળાનાથની આરતી નો શુભ લાભ લીધેલ હતો આ તકે વિછીયા વિસ્તારની અંદર બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા ખૂબ સમાજ સુધારણા કાર્યો થાય છે તે બદલ તમામનો ખુબ ખુબ આભાર અહેવાલ...રસીક વિસાવળીયા જસદણ 

મહાશિવરાત્રિ ઉત્સવ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવ શ્રી નિલકઠ મહાદેવનું ભવ્ય પૂજન થયું

Image
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજ સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા.18-02-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટમંજનદેવ દાદાને દિવ્ય શૃંગાર કરી સવારે મંગળા આરતી તથા શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ મંદિરના પરિસર મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં સત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ,જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી,  

બોટાદના આઉટસોર્સિંગ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Image
  બોટાદ કલેક્ટર કચેરી ખાતે બોટાદ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેમની માગણી હજી સુધી સંતોષાઈ નથી. જેને લઇને આજે મોટી સંખ્યામાં એકઠા થઈ કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.